Sorry, no posts matched your criteria.

Comments

No Responses to “Previous Post”

  1. આપની વાત સમજાય તેવી છે વલીભાઈ, પરંતુ સંયુક્ત કુંટુંબોમાં બાળકના જન્મ પછી “ઠુકરા દો યા પ્યાર કરો” આસાન નથી હોતુ. એકબીજાની પૂરી ખબર પડે ત્યાં બાળકો જન્મી ચૂક્યા હોય છે અને મા બાપ તરીકેની ફરજો પતિ પત્નીના સંબંધો અને છૂટા પડ્યા પછીના અનિશ્ચિત ભાવી કરતાં અગ્રતાક્રમે હોય છે. દુ:ખને દૂર કરવા જતા કેટલીકવાર વધતુ જતુ હોય છે. મારા મત પ્રમાણે તો પ્રેમમાંથી જન્મતી ત્યાગ અને સહનશીલતા થકી દુ:ખોને સ્વીકારી તેનો સામનો કરીને કેમ શમાવવા તે દૂર કરવા કરતા વધુ અગત્યનું છે. ઘર, સમાજ કે દેશમાં ત્રાસવાદને જ્યાં પોષણ મળે ત્યાં જ તે વધે છે. તેને પોષણ ન મળે તો આપોઆપ તે શમી જાય છે. પૂ. ગાંધીજીની જેમ અસહકાર અને મકકમતા થકી શાંતી સ્થાપી શકાય પણ તે માટે સ્વાર્પણની તૈયારી જોઈએ તે હવે આ જમાનામાં કેરિયરલક્ષી સ્ત્રીઓમાં પણ ક્યાં જોવા મળે છે? આપનો લેખ વિચારતા કરી મૂકે તેવો છે. મારો ઈરાદો વિરોધ કરવાનો જરા ય નથી ફક્ત સિક્કાની બીજીબાજુ પર નજર ફેરવવાની જ વાત છે.

    આભાર સહ…..

  2. બાળકો જન્મી ગયા પછી તો “It is too late.” પછી તો બિચારાં નિર્દોષ છોકરાંઓનો ભોગ લેવાય! આ સંજોગોમાં તો જે કોઈ મજલુમ હોય તેણે બાળકોને ખાતર પણ ઝેરનો ઘૂંટડો પી જ લેવો પડે! અહીં એક વાત તો નિશ્ચિત છે જ કે બે અંતિમ છેડાઓ વચ્ચેની સ્થિતિ ખૂબ જ કપરી છે. સમસ્યાના ગુણદોષને ધ્યાનમાં લઈને જ પુખ્ત વિચારણાના અંતે મજલુમ જે કોઈ નર હોય કે નારી હોય તેણે જાલિમના જુલ્મમાંથી બહાર નીકળી જવું જ જોઈએ, નહિ તો ઈશ્વર એવું કોઈને માટે ન થવા દે; પણ આપણે અખબારોમાં વાંચીએ છીએ તે મુજબ જે તે પીડિત આત્મહત્યા કરતાં હોય છે અને ઘણીવાર તો બાળકોને સાથે લઈને પણ તેમ થતું હોય છે. મારા મતે આ સ્થિતિ વધુ દુ:ખદાયક છે, માટે જ તો Prevention is better than cure.

    આશાસહ વિરમું છું કે અન્ય વાંચકો પણ આ ચર્ચામાં જોડાય.

    ધન્યવાદ.

  3. Siraj Parmer says:

    Dear Valibhai,

    Thanks for the English translation post. It is amzing what a click of a mouse can do.

    So well said: “Silence of good people encourages evil indirectly”. Thanks for your support for Late Mohammad Ali Parmar “Suffi”. He was a poet who saw religious bigotry as counter productive. People can do better with harmony and love rather war and hate.

  4. Ullas Oza says:

    આજના ‘મૉડર્ન’ કહેવાતા યુગમા પણ આવી ઘટનાઓ બને છે તે દુઃખની વાત છે.
    પતિ-પીડિત પત્નીઓ અને પત્ની-પીડિત પતિઑ આ બન્ને પરિસ્થિતિ સારી નથી.
    સારુ શિક્ષણ મદદરૂપ થાય છે.
    તે ઉપરાંત સુખરૂપ જીવન જીવવાની સમજણ મા-બાપ અને સારા આધ્યાત્મિક ગુરૂ પાસે લેવી ખૂબ જરૂરી છે.
    સામાજીક પ્રવૃત્તિ તથા સત્સંગ ને સ્વાધ્યાય પણ આવા દમનને ડામવામા ઉપયોગી થઈ શકે છે.
    લૉક-જાગૃતિ આવવી જોઇઍ.
    ઉલ્લાસ ઓઝા

  5. ઉલ્લાસભાઈ,

    આપનું મંતવ્ય યથાર્થ છે. પરંતુ મનોવૈજ્ઞાનિક વિકૃતિને દૂર કરવા માટે એના નિષ્ણાતોની સેવા લેવી જરૂરી બની જાય છે. પોતાના બદલાતા જતા કે બદલાએલા મનોવલણને સ્વીકારવામાં આવે, તો જ આગળ કોઈક માર્ગ નીકળે. પરણવા કે પરણાવવાની ઉંમર થતાં સુધી જે કોઈ પાત્ર હોય તેનાં માતાપિતા જ તેવી વ્યક્તિને સુધારવા માટે નિષ્ફળ ગયાં હોય, ત્યારે પછી પાછળથી એ બે પૈકીનું કોઈ એક એકલું શું કરી શકે ?

    આવા દાંપત્યજીવનના પ્રશ્નોના મૂળમાં એક માત્ર બાબત જો હોય તો તે છે, સહિષ્ણુતાનો અભાવ. આ બાબત બહારથી ન આવી શકે, એ તો પોતાના દિલોદિમાગમાં એને જગાડવી પડે.

    ચર્ચા રસપ્રદ થતી જાય છે, જેનો મને આનંદ તો છે અને પ્રતિભાવો વાંચવાવાળો પણ એક વર્ગ હોય છે, તેમને પણ આનંદ થતો હશે જ.

    ઈશ્વર કોઈને પણ આવી કૌટુંબિક સમસ્યાનો ભોગ ન થવા દે.

    ધન્યવાદ.

  6. ભાઈશ્રી સુરદા

    કોઈ હાસ્ય દરબારી રત્નના દાવેદારો માટે જ પરીક્ષા કે ઈન્ટરવ્યુનો પ્રશ્ન આવે છે, બાકી સામાન્ય દરબારીજન માટે તો આપણા દરબારના દરવાજા ખુલ્લા છે. મગજ બાજુએ મેલવાની વાત તો દરેક માટે પ્રથમ લાયકાત છે. હવે હાથ, પગ અને હૈયા સાથે પેટ પણ સાથે લઈ આવવાની વાત તમારાથી ભુલાઈ ગઈ છે. પેટ પકડીને હસવાનું હોય ત્યાં પેટ વગર કઈ રીતે ચાલે, મારા વીરા? બીજો કોઈ થોડો પોતાનું પેટ હસવા માટે કોઈને પકડવા દે! એને ખુદને હસવાનું હોય કે નહિ!વળી કોઈ હજમ ન થાય તેવી વાત હજમ કરવા માટે પણ પેટ તો જોઈએ ને, પછી ભલે ને આફરો ચઢતો હોય!માટે ભાઈઓ અને બોંનો, જો જો પેટ ભુલાય નહિ!!!

  7. પ્રિય વલીભાઈ,

    તમારી મહેનત સાર્થક થઈ છે.
    અમેરીકામા પણ આ વાતો સત્ય બની ને સમાજે તેની સામે અત્યાચારો અટકાવવા સહેલી ને એશયન ટાસ્ક ટુ પ્રિવેન્ટ વાયોલન્સ શરુ કરેલ છે.
    અમે બન્ને ડોકટર તરીકે આ ફરજ બજાવતા ૪૦ વર્ષ ભારતથી દુર વીતાવ્યા છે ને ભારતના માટે પણ થાય તેટલા પ્રવ્રુત છીએ.
    દુખિયારી બહેન-દીકરીને આ આર્ટિકલ ઉપયોગી થશે.
    માતાપિતાને પણ માર્ગદર્શન મળશે.
    આવુ લખતા રહેજો.

    ગીતા અને રાજેન્દ્ર
    http://www.bpaindia.org

  8. મને આવો કોઈ અનુભવ થાય એવી બહુ જ ઇચ્છા છે. તમે કહો છો, એટલે આવાં કોઈ તત્વો હશે જ.
    પણ મજબૂત મનમાં એ કદાચ પ્રવેશી નહીં શકતા હોય!
    જોયું ? કેટલી ચાલાકીથી આપણા બન્નેની સ્વ- પ્રશંસા કરી દીધી !!!

  9. પેટને પકડીને જ હા હા થાય,
    ના પકડો પેટ તો નાચતુ લાગે!
    પછી જોનારાને થાય કે પેટમા શુ કુદા કુદ થાયછે?
    ઢાકેલુ ક્યાથી દેખાય !
    ખુલ્લા દીલથી,
    ખુલ્લા મોઢે હા હા થાય તો પેટ પણ બરાઈ જાય ને
    હા હા ના હોન્કારા જોવા ના પડે દેખાય !

    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org

  10. આજના આ મૈત્રીદિન નિમિત્તે આપના થકી સર્વે બ્લોગર મિત્રોને સુખશાતા પૂછુ છું…ખુબ જ સરસ વિધ્વતાથી ભરપૂર લેખ …સારા મિત્રો મળવા એ પણ પ્રભુની દેન છે… જોકે એ બાબતે હુ ઘણો જ ખુશનસીબ છુ….આપનો અધ્યયનથી સભર લેખ ઘણુ બધુ કહી જાય છે …સમજવા લાયક અને ‘ઉતારવા’ લાયક લેખ …

  11. જગતમાં “મૈત્રીદિન” ઉજવાય એ સારી વાત !….જો આ ફક્ત ઉત્સવ જ ના હોય પણ જગતના માનવીઓ “મૈત્રીભાવ” સાથે રેહવા માટે પગલાઓ લેય તો મારા હૈયે ખુબ જ આનંદ હશે !
    જગતની વાત એ રહી…પણ આપણી “મિત્રતા” ખીલતી રહે એવી અંતરની પ્રાર્થના !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    Valibhai….Nice to read the Post…Hoping you will visit Chandrapukar with “some time” after your Health Check up ..Read OLD Posts…& your COMMENTS for the Posts you like will be really appreciated !

  12. દુનિયાભરના સાહિત્યમાં દુર્યોધન અને કર્ણ જેવી તથા કૃષ્ણ અને સુદામા જેવી મૈત્રી જોવા નહિ મળે. મહાભારતનું યુધ્ધ અનિવાર્ય બન્યું ત્યારે માતા કુંતી અને ભગવાન કૃષ્ણ કર્ણને પાંડવોને પક્ષે આવી અને હસ્તિનાપુરની ગાદી અને દ્રૌપદી પણ આપવા ની લાલચ અને પ્રલોભન આપે છે ત્યારે કર્ણ જે જવાબ આપે છે તે મૈત્રીનું ઉચ્ચ્તમ શીખર સિધ્ધ કરે છે. કર્ણ કહે છે કે જ્યારે મારું અપમાન થઈ રહ્યું હતું ત્યારે દુર્યોધને મને માન મરતબો આપી આદર કરેલો તે હું ભૂલી ના શકું ! હું જાણું છું કે કૌરવોના પક્ષે રહેવાથી મારું મૃત્યુ નિશ્ચિત છે તેમ છતાં હું દુર્યોધનને છોડી આ પ્રલોભન સ્વીકારી ના શકું ! આવું જ ઉતકૃષ્ટ મૈત્રીનું ઉદાહરણ જ્યારે સુદામા પોતાની પત્નીના અત્યંત હઠાગ્રહ સામે હારી કૃષ્ણ પાસે દ્વારકા આવે છે ત્યારે કૃષ્ણ સિંહાસન ઉપરથી ઉતરી સુદામાને બાથમાં લઈ પોતાની સાથે બેસાડી સુદામાની બગલમાં રહેલી પોટલી ઝુંતવી તાંદુલ આરોગે છે અને દ્વારકા આવવાનું પ્રયોજન સુદામાને પૂછ્યા વગર જ જાણી તેમ્ના વતન પોરબંદરમાં મહેલ જેવું મકાન બનાવી આપે છે અને તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરી દે છે. મિત્ર હો તો આવા હજો ! જે એક બીજા દૂર હોવા છતાં એક બીજાની તકલીફની સંવેદનાઓ કહ્યા વગર જ અનુભવે અને કોઈ પણ સંજોગોમાં લાલચ કે પ્રલોભનને વસ થઈ મિત્રએ કહેલી કોઈ અંગત વાતો ક્યારે ય જાહેર ના કરે અને મિત્રતામાં ઓટ આવે તો પણ ક્યારે ય એક શબ્દ પણ વિરોધ કે લાગણી દુભાય તેવો ના ઉચ્ચારે ! અલબત્ત જીવન દરમિયાન આવા એક કે બે મિત્રો પણ મળે તો જીવન સાર્થક થયું ગણાય ! ખૂબ જ મુશ્કેલ છે આવા મિત્રો મેળવવા !ખેર ! વલીભાઈ મા-બાપ કે સગા વહાલા પસંદ કરવાની કોઈ તક મનુષ્યને મળતી નથી માત્ર મિત્રો પસંદ કરવાનો વિકલ્પ મળે છે ત્યારે પસંદ કરતી વખતે કાળજી રાખવાની રહે ! હાય અને હેલ્લો કહેવા કે સાંભળવા અનેક મિત્રો મળી રહે પણ એક બીજાને લાગણી અને ઉષ્મા દ્વારા સંવેદી શકે તેવા મિત્ર કે મિત્રો મળે તો મળે ! અસ્તુ !

  13. મારો મિત્ર દિવસ જ્યારથી મિત્ર મળ્યા છે તે દિવસથી રોજ મનાવતો રહ્યો છુ.
    હવે તમે પણ એ લિસ્ટમા સામેલ થયા છો.

    રાજેન્દ્ર ત્રિવેદી

    તુલસીદલ
    ધવલરાજગીરા
    http://www.bvpaindia.org

  14. Dilip Gajjar says:

    વલિભાઈ, મિત્ર માટે એક પન્ક્તિ યાદ આવી ..
    દદાતિ પ્રતિ ગ્રુહ્નાતિ ગુહ્ય માખ્યાતિ પ્રુચ્છ્તિ
    ભુન્જતે ભોજયતે ચૈવ શદ્રિતિ પ્તિરિ લક્ષણમ
    જે આપે છે લે છે ગુહ્ય વાત પણ આપલે કરી શકે અનેજમે અને જમાડે આ છ દોસ્તીના લક્ષણ યાદ આવી ગયા
    હેપી ફ્રેન્ડ્શીપ ડે

  15. Ullas Oza says:

    સંગત સુજનની હંમેશા સાથે રહે.
    સાચી મૈત્રી અખંડ રહે અને મૈત્રીનુ ગૌરવ જાળવી રાખે.
    શુભ કામના.

  16. બહુ મોડો પડ્યો .. પણ દોસ્ત તો ખરો જ .
    એક સારો દોસ્ત એ બધાયથી ઉપર હોય છે.

    સરસ.

    राजद्वारे स्मशाने च, यः तिषृहति सः तिष्ठति

    એન્જિયોપ્લાસ્ટી હેમખેમ પતાવી, નવયુવાન બની પાછા પધારો.

  17. હિંમત રાખો સાહેબ ! ઘણા લોકોએ જીવનમાં દશ દશ વખત આ પાન,માવા,ગુટકા,ધુમ્રપાન રૂપે લેવાતું તમાકુ છોડ્યું છે !!! આપ શું એક વખત પણ નહીં છોડી શકો ? ;-) આપનો સંકલ્પ સદાકાળ ટકી રહે તેવી પ્રાર્થનાસહઃ (ભાગ-૨ ની પ્રતિક્ષામાં..)
    આભાર.

  18. શ્રી અશોકભાઈ,

    તમારી જ પ્રથમ કોમેન્ટ અને તમે તો મેદાન મારી ગયા! મારા અર્ધી સદી ઉપરાંતના નિષ્ફળ પ્રયત્નો પછી પણ કદાચ હંગામી છતાંય મારા મને કઠોર એવો આ નિર્ણય લેવામાં જે મારા મિત્ર નિમિત્ત બન્યા છે, તે તો ઊંઘતા જ રહ્યા! મેં તેમને પ્રથમ કોમેન્ટે આવી જવા અંગત મેઈલ પણ કરી હતી. આમ છતાંય તમારી કોમેન્ટ બદલ મને સંતોષ એ વાતનો છે કે મને Moral Support માટે જે પ્રકારની કોમેન્ટની અપેક્ષા હતી તે મને તમારા થકી મળી ચૂકી છે અને તે બદલ જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

    ધન્યવાદ

    વલીભાઈ

  19. માન. વલીભાઇ, નમસ્કાર.
    આપ સમા વડીલે મારો આભાર માન્યો તે આપનું બડપ્પન છે.
    આપનો આ લેખ મારા જેવા કોઇકનું વ્યસન છોડાવવામાં પણ નિમિત્ત બનશે તો એ પણ પુણ્યકાર્ય થશે. અને તેના ફળ સ્વરૂપે આપના સંકલ્પને બળ જરૂર મળશે તેવી મારી આશા છે.
    આભાર.

  20. Rameez Musa says:

    Dear dada,we never forced you to do such things, but we always counseled you….n we are glad today that you are going to take this step….”Jagya Tyaanthi Savar”…..we are always with you…so Dear Dada…”tum aage badho,hum tumhare saath hai”….keep it up Dada…..

  21. My dear Grand Son Dr. Rameez,

    I am very happy to read some words of yours very useful to my moral building to stick with my decision. I am mentally firm in this regard, but feel some physical problems. Our village Dr. Late P. J. Shah had once told me that I should try to get rid of tobacco chewing gradually. I seek your advice whether I should follow this or neglect it. You may call me or send me a personal mail for my query raised.

    Khuda Hafiz,

    Duagir,

    Dada

  22. મા. શ્રી વલીભાઈ,

    “મિત્રો એકબીજાની પ્રસન્નતા કે ગમગીનીમાં સમસંવેદના અનુભવે.” મિત્રો હંમેશાં એક બીજાના દુખમાં આગળ, સુખમાં પાછળ મિત્રોને ખબર પણ ના પડવા દે, એવા મિત્રો નશિબદાર.

    “દુર્યોધન અને કર્ણ જેવી તથા કૃષ્ણ અને સુદામા જેવી મૈત્રી જોવા ” ઈચ્છા જરૂર રાખું છું

    તમારો લેખ વાંચ્યો હતો જવાબ મોડે મોડે આજે આપું છું.

  23. મા. શ્રી વલીભાઈ,

    શરમ નામની આ બલા મને ના વળગી એ માટે મારા દાદાનો ઉપકાર માનવો રહ્યો,પછીથી ગુજરાત વિધ્યાપીઠનો. જો કે કરોડપતિઓને રોડપતિઓ પાસે શરમ વિના બે-ધડક ભિખ માગતા જોવાનો લહાવો મળ્યો છે.

    કબુલાત માટે હિંમતને દાદા દેવી પડે જ .

  24. Popatbhai,

    Thanks for your late but in time comment. I can understand the feelings of all you people residing abroad very well. Last paragraphs of my Article are significant. Mutual fair understanding is the base of true friendship. The luckiest people are those who enjoy selfless friendships.

    With warm regards,

    Valibhai

  25. Rameez Musa says:

    Dear dada,

    Your query is absolutely scientific……there will be many withdrawal symptoms for few weeks which will make u so uncomfortable, but you have to face it or should find out some way to ignore it….

    According to some physicians, addiction should be left gradually…..but in that case the success rate is not that much as compared to sudden withdrawal……so it’s better to stop abruptly……n if you have too many symptoms, we shall discuss with some specialist doctors…..so at present you continue sticking with your decision….

    Khuda Hafiz

  26. તમાકું ત્યાગી વલીભાઈ !
    હાર્ટની સર્જરી બાદ, વલીભાઈ તો આવી ગયા છે ઘરે,
    તમાકું ત્યાગ કરી, વલીભાઈ તો નવજીવનમાં છે ઘરે,
    રમીઝ કહેઃ દાદા,તમે લાગો છો જુદા જુદા,
    તો, દાદા કહેઃ તમાકું વગર લાગું છું સારો,પૌત્ર મારા,
    ત્યારે, રમીઝ કહેઃસારા જ હતા,પણ હવે છો વધુ સારા તમે,
    જાગ્યા ત્યારથી સવારના મંત્ર સાથે,તમાકું વગર રહેશો જરૂર તમે,
    તમે અચાનક તમાકુંનું વ્યસન છોડ્યું, છે એ જ બરાબર,
    કાંઈ અણગમતું થાય,ગભરાશો નહી,ત્યારે ડોકટરસલાહ ,છે એ જ બરાબર,
    “ખુદા હાફીઝ્”ના પૌત્ર-શબ્દો યાદ કરી,કરી
    વલીભાઈ છે રાજી,તમાકું ત્યાગનો આનંદ માણી,માણી !
    >>>>ચંદ્રવદન તારીખ ઓગસ્ટ ૧૪, ૨૦૧૦
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai..Hope you are back home & well !

  27. આભાર ચન્દ્રવદનભાઇ,

    સરસ મજાની શીઘ્ર કવિતા બદલ!
    શબ્દે શબ્દે કેટલો આનંદ છલકે છે, એક કુટુંબીજનની જેમ!
    આપની પાસે પ્રભુપ્રાર્થનાની અપેક્ષા કે
    એન્જિઓપ્લાસ્ટીથી કામ સરે, બાયપાસથી વલદા બચે!
    છેલ્લી લીટીમાં થોડું કવિતા જેવું લખાઈ ગયું નહિ!

    સ્નેહાધીન,

    વલીભાઈ

  28. pragnaju says:

    ધન્યવાદ.
    અમારા હીરો ડીન ઓર્નીશની પધ્ધતિથી તમારી પ્લાસ્ટી કે બાયપાસ સર્જરીને પણ બાયપાસ કરી શકાશે.આવા ઓપરેશન બાદ તમે એમ માનો કે તમારું દર્દ સમૂળું સારું થયું અને ગાફેલ રહેશો તો તમને ધોકો થશે!
    મસ્ત સ્વભાવના અમારા ચેનસ્મોકર કાકાશ્રી ધન્વિનચંદ્ર ભગવતીશંકર શુક્લ, ૯૩ વર્ષની ઉંમર સહજતાથી શાંત થયા ત્યારે મેં અંજલીમા લખ્યું હતું કે-”હર ફક્રકો ધૂંવેમેં ઉડાતા ચલા ગયા!”ત્યારે દુઃખ એ લાગતું કે આનાથી તંબાકુનો પ્રચાર થાય છે!
    જ્યારે તંબાકુ છોડનાર તે અંગે કહે તેની વધુ અસર થાય છે. અત્યારના બુધ્ધિપ્રધાન સમાજને તે અંગે સમજાવીએ તો ન કેવળ વધુ અસર થાય છે પણ સ્થાપિત હિતો સામે લડવાની સરળતા રહે છે.
    એવું માનવામાં આવતું હતું કે તમાકુ એ ઇશ્વરની ભેટ છે અને જે લોકો તમાકુનો ધુમાડો બહાર કાઢે તે જે તે વ્યક્તિના વિચારો અને પ્રાર્થના સ્વર્ગ સુધી પહોંચાડે છે!
    તમાકુના ઔષધ તરીકેના અસંખ્ય ઉપયોગ છે. દર્દ નાશક તરીકે તેનો ઉપયોગ કાન અને દાંતના દુઃખાવા માટે અને પ્રસંગોપાત પોટીસ મૂકવા તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો. રણમાં વસતા ભારતીયો માટે ધૂમ્રપાનને ઠંડીનો ઉકેલ હોવા તરીકે વર્ણવવામાં આવ્યું છે, તેમાંયે ખાસ કરીને જો તમાકુને ડેઝર્ટ સાગે સાલ્વિયા ડોરિલ પાંદડાઓ સાથે અથવા ભારતીય બામ વૃક્ષના મૂળીયા અથવા ખાંસીના મૂળીયા લેપ્ટોટેનીયા મલ્ટીફિડા સાથે મિશ્રણ કરવામાં આવતા હતા, જેના ઉમેરણથી તે ખાસ કરીન અસ્થમા અથવા ફેફસાના ક્ષયરોગ માટે સારુ ગણવામાં આવતું હતું.
    તમાકુએ કૃષિ પેદાશ છે, જેને પ્રજાતિ નિકોટિયાના માં છોડના તાજા સ્તરોમાંથી પ્રોસેસ કરવામાં આવે છે. પ્રજાતિમાં અસંખ્ય જાતોનો સમાવેશ થાય છે, જોકે નિકોટિયાના ટોબેકમ સર્વત્ર ઉગાડવામાં આવે છે. નિકોટિયાના રુસ્ટિકા બીજા ક્રમનું ઊંચી માત્રામાં નિકોટીન તત્વ ધરાવે છે. આ પાંદડાઓની લણણી કરવામાં આવે છે અને ધીમા ઓક્સીડેશન થવા દેવા માટે અને તમાકુના પાંદડામાં કેરોટેનોઇડના ડિગ્રેડેશનના ઉપચાર કરવામા આવે છે. આ પ્રક્રિયા તમાકુના પાંદડાઓમાં ચોક્કસ પ્રકારના મિશ્રણો ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ મીઠા ઘાસ, ચા, ગુલાબ તેલ અથવા ફળના મધુર સ્વાદવાળી બનાવવા માટે થાય છે. પેક કરતા પહેલા, તમાકુને ઘણી વખત નીચેના હેતુ માટે અન્ય ઉમેરણો સાથે મિશ્રણ કરવામાં આવે છે: જેમ કે ઉમેરેલી ચીજના ગુણમાં વધારો કરવા, પ્રોડક્ટ પીએચમાં ફેરફાર કરવા અથવા વધુ સ્વાદિષ્ટ બનાવીને ધૂમ્રપાનની અસરોમાં સુધારો કરવો. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ ઉમેરણો ૫૯૯ પદાર્થોનું નિયમન કરે છે
    કુદરતી રીતે થતા ન્યુરોટ્રાન્સમીટર એસીટીકોલાઇન દ્વારા ઘણી વખત કોલીનર્જીક રિસેપ્ટર ઉત્તેજિત થાય છે. એસીટીકોલાઇન અને નિકોટીન રસાયણીક સમાનતા પ્રદર્શિત કરે છે, જે નિકોટીનને રિસેપ્ટર (સંવેદનાઓ જીલતો શરીરનો ભાગ) ઉત્તેજિત થવા માટે સહાયરૂપ થાય છે. આ નિકોટીનયુક્ત એસીટીકોલાઇન રિસેપ્ટર મધ્ય નસ સિસ્ટમ અને હાડપિંજરને લગતા સ્નાયુઓના મજ્જાતંતુ સ્નાયુ જંકશનમાં આવેલા હોય છે; જેમની કામગીરી હૃદયના ધબકારા, સતર્કતા,અને ઝડપી પ્રતિક્રિયા બનાવે છે. નિકોટીન એસીટીકોલાઇન સ્ટિમ્યુલાઇઝેશન સીધી રીે ઉમેરણ હોતું નથી. જોકે, નિકોટીન રિસેપ્ટોર પર ડોપામિન છૂટો કરતી કોશિકા વિપુલ પ્રમાણમાં હોવાથી ડોપામિન છૂટી કરવામાં આવે છે. આમ ડોપામિનને છૂટો કરવાની પ્રક્રિયા આનંદ સાથે સંકળાયેલી હોવાથી, દબાણયુક્ત હોય છે અને તેનાથી શક્યતઃ કામ કરવાની યાદશક્તિમાં પણ વધારો થાય છે. મિકોટીન અને કોકેન સમાન પ્રકારની કોશિકાને સક્રિય કરે છે, જે આ પ્રકારની દવાઓમાં સામાન્યતઃ સબસ્ટ્રેટ (પાચકરસ પરનો પદાર્થ) આવેલો હોય છે તેવા ખ્યાલને ટેકો આપે છે.
    જ્યારે તમાકુનુ ધૂમ્રપાન કરવામાં આવે છે ત્યારે મોટા ભાગનું નિકોટીન પાયરોલાઇઝ્ડ હોય છે. જોકે, આવો ડોઝ નજીવી શારીરિક નિર્ભરતા લાવવામાં અને મજબૂત માનસિક નિર્ભરતા લાવવા માટે પૂરતો છે. તદુપરાંત તમાકુ ધૂમ્રપાનમાં એસીટલડિહાઇડમાંથી હાર્મેન (એમએઓ ઇન્હીબીટર)ની પણ રચના થાય છે. આનાથી નિકોટીનના વ્યસની બનવામાં અગત્યની ભૂમિકા ભજવે તેવું લાગે છે.
    ખૂબ જાણીતી વાત છે કે તમાકુનુ સેવન હૃદય અને ફેફસાના સર્વસામાન્ય રોગોમાં પરિણમે છે, જેમાં ધૂમ્રપાન હૃદય હૂમલા, આંચકા, લાંબી અવરોધક ફેફસાના રોગ, (સીઓપીડી),એમ્ફીસિમ(શરીરના ઊતકોમાં કે પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો), અને કેન્સર (ખાસ કરીને ફેફસાનું કેન્સર, સ્વરયંત્ર અને મોઢાનું કેન્સર, અને સ્વાદુપિંડનું કેન્સર) થવા માટેનું મોટું પરિબળ બને છે.
    તમાકુ અને અન્ય ઔષધો વચ્ચેનો સંબંધ સુસ્થાપિત છે, જોકે આ સંગઠનનો પ્રકાર અસ્પષ્ટ છે. બે મુખ્ય થિયરીઓ ફેનોટિપીક કૌસેશન (ગેટવે) મોડેલ અને સહસંબંધિક જવાબદારી મોડેલ છે. કૌસેશન મોડેલ એવી દલીલ કરે છે કે ધૂમ્રપાન પ્રાથમિક રીતે ભવિષ્યમાં ઔષધના વપરાશ પર પ્રભાવ પાડે છે,જ્યારે સહસંબધિક જવાબદારી મોડેલ એવી દલીલ કરે છે કે ધૂમ્રપાન અને અન્ય ઔષધ વપરાશ જિનેટિક અથવા પર્યાવરણીય પરિબળો હોવાનું માનવામાં આવે છે
    તમાકુના સેવનથી દૂર રહેવાની અસંખ્ય પ્રકારની પદ્ધતિઓ છે જેમ કે કોલ્ડ તૂર્કી, નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી, એન્ટીડિપ્રેઝન્ટ, હીપ્નોસીસ, સ્વ-સહાય, અને સહાયક જૂથો.ધૂમ્રપાનની કુટેવ છોડવા માટે ચેમ્પિક્સ નામની દવા તમને આપઘાત માટે પ્રેરિત પણ કરી શકે છે.હકીકતમાં આ દવા ધૂમ્રપાન કરનારી વ્યક્તિનો મૂડ બદલી નાખે છે. પરંતુ તેના સેવનથી ડિપ્રેશન, તણાવ, ચીડિયાપણું જેવા લક્ષણો પણ વ્યક્તિમાં ઘર કરી જાય છે. આ લક્ષણોના કારણે જ વ્યક્તિ પાછળથી આત્મહત્યા કરવા વિચારવા લાગે છે.
    તમે આ અભિયાન ચાલુ રાખો તો વલી માનશું

  29. વલીભાઈ,
    આજે આ બીજી પોસ્ટ વાંચી.
    તમે અહી સુરેશભાઈ જાનીને જાણ્યાની ખુશી દર્શાવી એ આનંદની વાત !
    તમારો આ એકબીજાનો પરિચય, તમો બન્નેને મિત્રો બનાવ્યા. આ મિત્રતા ખીલી !
    એની સાથે અનેક ઈમેઈલરૂપી વાર્તાલાપ….અને, તમારા “તમાકુ વ્યસન”વિષે ચર્ચાઓ,અને એ ચર્ચાઓમાં “થોડા સુરેશ શબ્દો” જે તીરોની જેમ તમારા દીલ સુધી પહોંચી ગયા…તમે હવે “ઘાયલ” હતા. અને, આ દર્દ સાથે તમે વધુ “જાગ્રુત” હતા.હવે, ડોકટરી સલાહો, તેમજ પરિવારની ચીંતાઓ તમારી આંખો આગળ તાજી બની.
    હવે, તમારૂં “મનોબળ”વધેલું હતું ….અને, પ્રભુએ તમારી “હ્રદયવાણી”સાંભળી !
    આવી શબ્દોરૂપી સલાહો તો જીવનમાં અનેકવાર મળી હતી, પણ એ બધી જ તણખલારૂપે જ રહી હતી..ત્યારે, આ સમયે, તણખલારૂપી સલાહ “તીર” બની ગઈ હતી, અને તમારા દીલને “ઘયાલ” કરી દીધું હતું !
    આ તમારા પરિવર્તનમાં કોણે કેટલો ભાગ ભજવ્યો એ ચર્ચાથી પર જઈ, આપણે તો ફક્ત ખુદા કે પ્રભુનો પાડ માનવો રહ્યો….મને શ્રધ્ધા છે કે આ તમારૂં મનોબળ હાર્ટ-સર્જરી બાદ પણ રહેશે,અને તમે વ્યસનથી “મુક્ત” રહી શકશો.>>>ચંદ્રવદન.
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai, You are in “good hands”…you are in “God’s hands”.

  30. પ્રજ્ઞાબેન,

    આપનો વિદ્વતાપૂર્ણ પ્રતિભાવ ફરી એક વાર મને ફરજ પાડે છે કે મારે આ વખતે તો આપને Mini અને Medium વિશેષણોથી પણ આગળ એવા Maxi Encyclopedia નું બિરૂદ આપવું જ આપવું.

    આપના આ શબ્દો “તમે આ અભિયાન ચાલુ રાખો તો વલી માનશું” મને મારી જાત સાથેના સંઘર્ષના અભિયાનમાં માત્ર યાદ જ નહિ રહે, પણ મદદરૂપ પણ અવશ્ય થશે.

    ધન્યવાદ.

  31. ચન્દ્રવદનભાઈ,

    ખૂબ ખૂબ આભાર. મારા મનોવ્યાપારોને તમે ઊંડાણપૂર્વક સમજી શક્યા છો તે બદલ ધન્યવાદ.

    સ્નેહાધીન,

    વલીભાઈ

  32. લો આજે વાંચવાનો ટેમ મળ્યો! દીકરાને પગના તળીયે દુખાવાનું દર્દ ઉપડ્યું હતું, એની સેવામાં હતો.
    તમારી અદભૂત વર્ણનશક્તિ અને એનાથીય અદભૂત ફ્રેન્કનેસ(ગુજરાતી?) કાબિલે દાદ છે.
    એક બે અદભૂય સામ્ય….

    મારી પાનપરાગ ભક્તિ(તમાકુસહિત નહીં પણ રહિત!)તમારી તમાકૂ ભક્તિ જેટ્લી જૂની તો નથી; પણ છેલ્લા છ મહિનાથી એના ચાળે ચઢ્યો હતો.(કદાચ તમારી સંગતની ટેલીપથીને કારણે પડેલી ટેવ?!) ચાર વર્ષ જૂની ગળાની ખિચ ખિચ મરવાની અણી પર હતી- તેને આ નવી ભક્તિએ જીવતદાન આપ્યું એવો મને વહેમ બે દિ’ પર પડ્યો અંને એ છોડી છે. તમારી કરમ કઠણાઈ વાંચી, એ સંકલ્પ દૃઢ બન્યો છે. આશા રાખું કે, એ મારી શરમકથાનું છેલ્લું પ્રકરણ બની રહે- આ વાંચીને સ્તો!
    મારી આદત મૂજબ મારા લેખની જાહેરખબર કરવાની આ અમૂલ્ય તક શેં ગુમાવાય ?

    તમારી ટ્રેન મુસાફરી જેવી મારી ટ્રેન મુસાફરી -
    http://gadyasoor.wordpress.com/2007/09/06/first_travel/

    અને ગળાની ખિચ ખિચ પર આક્રમણની કથા …

    http://gadyasoor.wordpress.com/2010/03/12/lpr/

    વાંચો અને વંચાવો !!

    અને 15 ઓગસ્ટે આ જાફેરાત કરવાના વ્યસનને દફનાવવામાંથી મળેલી આઝાદીમાંથી થયેલું નવલા સર્જનની આઝાદી —–

    http://sujan10thoughts.wordpress.com/

    જોયું ને વ્યસન મુક્તિ કેટલી અસાધ્ય છે?!

  33. અરે! વલીદા,
    સુરદાને છાપરે કાં ચઢાવો? માંડ માંડ અહમ ઓગાળવાના રસ્તે ચઢ્યો છુ; ત્યાં ટાંટીયો ઝાલીને પાછો કાં ખેંચો?

    હવે અવળવાણેી કરી લઉં !!
    તમાકુ ખાવા, પીવા કે સૂંઘવા જેવાં સદોષ કે નિર્દોષ વ્યસનો ઉપરાંતનાં દારૂ કે અન્ય કેફી દ્રવ્યોનાં સેવનની લતના રવાડે કદીયે કોઈ ચઢશો નહિ; ચઢવું સહેલું છે પણ એક વખત ચઢ્યા પછી ઊતરવું આસાન નથી. કોઈ પણ પ્રકારના નામે વ્યસનથી બચવું, વ્યસન પડી ગયું હોય તો સત્વરે તેમાંથી બહાર નીકળી જવું અને અન્યોને એવાં વ્યસનોથી બચાવવા કે મુક્ત કરવા પ્રયત્નશીલ રહેવું એ મારા આ લેખનો સંદેશ છે.
    ——————–
    હે લાડકીનાથ્
    પરોપદેશે પાંડિત્યમ કરો એ તમારો હક્ક છે. પણ આ સુરદાના સમ માથે ચઢાવી આનું અમલીકરણ કરવાના કોલ દેશો?
    લિ. જ્યોતિનાથ
    ( અને આ જ્યોતિનાથની એક જ નામરદાઈ …મારી ઈવડી ઈ ની એક પણ વાતને ટાળવાની મારામાં તાકાત નથી. એણે માથે મારેલા બધા સમ ભ્રમવાક્ય નહિં પણ બ્રહ્મ વાક્ય માન્યા છે !!)
    તો આ સુરદાને વ્હાલો ગણતા હો તો ઓ મારા વાલીડા . આ તમાકુડોશીને કબરમાં દાટી દિઓ.

  34. pragnaju says:

    “તમે આ અભિયાન ચાલુ રાખો તો વલી માનશું”

    આ વિચાર અમારો નથી અમે આ વાતમાંથી લીધો છે!

    ઈરાનના એક સમ્રાટ નીમરોઝે અપને આપને ખુદા ઘોષીત કરવાની જુર્રત કરી હતી.

    બલ્કે ખુદાની નકલ કરી હતી. ખુશામતખોરીની નીમરોઝના નાયાબ(!) ‘તરીકા’ પર

    ગાલિબે સોલિડ નૂક્તેચીની કરી છે; ક્યા વો નીમરોઝ કી ખુદાઈ થી, બંદગી મેં મેરા ભલા ન હુવા!!

    બંદગી કરવાથી એટલે કે ખુશામત કરવાથી પોતાને કોઈ ફાયદો થયો નહીં. એટલે ગાલીબ મીંયા ગીન્નાયા

    અને શંકા વ્યક્ત કરી કે શું નીમરોઝ ખરેખર ખુદા છે? ખુદાની આવી ખીલ્લી ઉડાડતા ગાલીબને મુલ્લાઓ નફરત કરે છે.
    યે ન થી હમારી કિસ્મત કિ વિસાલ-એ-યાર હોતા
    અગર ઔર જીતે રહતે, યહી ઇંતજાર હોતા

    તેરે વાદે પર જિએ હમ, તો યે જાન ઝૂઠ જાના
    કિ ખુશી સે મર ન જાતે, અગર એ’તિબાર હોતા

    તેરી નાજુકી સે જાના કિ બંધા થા અહદ બોદા
    કભી તૂ ન તોડ સકતા, અગર ઉસ્તવાર હોતા

    કોઈ મેરે દિલ સે પૂછે, તેરે તીર-એ-નીમકશ કો
    યે ખ઼લિશ કહાઁ સે હોતી, જો જિગર કે પાર હોતા

    યે કહાઁ કી દોસ્તી હૈ, કિ બને હૈં દોસ્ત નાસેહ
    કોઈ ચારઃ સાજ઼ હોતા, કોઈ ગ઼મગુસાર હોતા

    રગ-એ-સંગ સે ટપકતા, વો લહૂ કિ ફિર ન થમતા
    જિસે ગ઼મ સમઝ રહે હો, યે અગર શરાર હોતા

    ગ઼મ અગરચે જાઁગુસિલ હૈ, પ કહાઁ બચેં, કિ દિલ હૈ
    ગ઼મ-એ-ઇશ્ક઼ ગર ન હોતા, ગ઼મ-એ-રોજ઼ગાર હોતા

    કહૂઁ કિસ સે મૈં કિ ક્યા હૈ, શબ-એ-ગ઼મ બુરી બલા હૈ
    મુઝે ક્યા બુરા થા મરના, અગર એક બાર હોતા

    હુએ મર કે હમ જો રુસવા, હુએ ક્યોં ન ગ઼ર્ક઼-એ-દરિયા
    ન કભી જનાજા ઉઠતા, ન કહીં મજાર હોતા

    ઉસે કૌન દેખ સકતા, કિ યાગાનઃ હૈ વો યકતા
    જો દુઈ કી બૂ ભી હોતી, તો કહીં દુચાર હોતા

    યે મસાઇલ-એ-તસવ્વુફ઼, યે તેરા બયાન ગાલિબ
    તુઝે હમ વલી સમઝતે, જો ન બાદાખાર હોતા

    વિસાલ-એ-યાર = પ્રિય સે મિલન
    તીર-એ-નીમકશ = આધા ખિંચા હુઆ
    ખ઼લિશ = વેદના
    તસવ્વુફ઼ = આધ્યાત્મવાદ,
    વલી = મહાત્મા
    બાદાખાર = શરાબી

  35. શ્રી વલીભાઈ
    નેટમાં પ્રોબ્લેમને કારણે આજે સમય મળ્યો અને આપની પોષ્ટ વાંચી. મજબુત મનોબળ વ્યસન મુક્તિ માટે શ્રેષ્ઠ ઉપાય છે અને આપ તે જરૂર કેળવી શક્શો કારણ આપ વ્યસન ના દોષોથી પણ સભાન અને સતર્ક છો. મારા એક મિત્રને પણ આપ જેવી જ તમાકુની આદત હતી લગભગ 45 વર્ષની જૂની અને તેણે પણ 2008માં બાય પાસ સર્જરી આવી હતી અને ટેવ ઓપરેશનના દિવસથી છૂટી તે સદભાગ્યે ફરી શરૂ થઈ નથી. આમતો આવી ટેવ સાધારણ રીતે શાળાના કે કોલેજના દિવસોમાં મિત્રોના મેણાં-ટોંણાથી શરૂ થતી હોય છે. તમાકુ કે સીગારેટ ખાવાનો ઈંકાર/પીવાનો ઈંકારને કરનારને અનેક જાતના મર્દ નથી સહિતના મ્હેણાં મારી પોતાની જમાતમાં ભેળવવાના તમામ પ્રયત્નો કરવામાં અવે અને આખરે પેલો પણ ચાલુ થઈ જાય ! મારા કિસ્સામાં પણ ઉપર જણાવ્યા તે મિત્ર સહિત બીજા મિત્રોએ પણ ખૂબ જ પ્રયાસો કરેલા પરંતુ હું બચી ગયેલો અને મૂગે મોઢે મ્હેણાં સાંભળી લેવાનું રાખતો ! ઈશ્વરની કૃપાથી આજ સુધી કોઈ પ્રકારની આદતો કેળવાય નથી સાદું અને સરળ જીવન જીવાઈ રહ્યું છે. આપ પણ આ આદતથી મુક્ત થઈ શક્શો તે નિઃશંક વાત છે અને પરમ કૃપાળુ પરમાત્મા આપને આપનું મનોબળ મજબુત બનાવવામાં પૂરેપૂરી સહાય કરે તેવી પ્રાર્થના સાથે
    સ-સ્નેહ
    અરવિંદ

  36. સુરેશભાઈના શબ્દોનુઁ પુનરાવર્તન કરી પુરેપુરુઁ અનુમોદન આપુઁ છું !

    તમાકુ ખાવા, પીવા કે સૂંઘવા જેવાં સદોષ કે નિર્દોષ વ્યસનો ઉપરાંતનાં દારૂ કે અન્ય કેફી દ્રવ્યોનાં સેવનની લતના રવાડે કદીયે કોઈ ચઢશો નહિ; ચઢવું સહેલું છે પણ એક વખત ચઢ્યા પછી ઊતરવું આસાન નથી. કોઈ પણ પ્રકારના નામે વ્યસનથી બચવું, વ્યસન પડી ગયું હોય તો સત્વરે તેમાંથી બહાર નીકળી જવું અને અન્યોને એવાં વ્યસનોથી બચાવવા કે મુક્ત કરવા પ્રયત્નશીલ રહેવું એ મારા આ લેખનો સંદેશ છે.

  37. Hussainali Musa says:

    ખરેખર મન સ્વિકારવા તૈયારજ નથી કે આજે જેફ અન્કલ ની તૃતીય મૃત્યુતિથિ છે, કેમકે તેમની સાથેના સહવાસ દરમિયાનના પ્રત્યેક પ્રસન્ગ એટલા ર્હ્યદયસ્પર્સી રહ્યા હતા કે કેમે કરીને ભૂલી નથી શકાતા.એમનો સ્વભાવ એટલો કેરીન્ગ હતો કે સામેની વ્યક્તિની જરૂરિયાત વગર કહ્યેજ સમજી જતા હતા.આ પ્રસન્ગે પ્રાર્થના કરીએ કે મરહુમના આત્માને જન્નતમાં શાંતિ મળે અને આપણ બધાંયને આઘાત જીરવવાની શક્તિ મળે. એમના સહવાસ દરમિયાનની ઘણી બાબતો એવી છે, કે જે દિલથી અનુભવી શકાય છે, પણ વર્ણવી શકાતી નથી.

  38. લો ! હું તમારી તબિયતની ચિંતા કરતો હતો; અને તમે તો લાંબું લચક લેક્ચર ઝૂડી નાંખ્યું !!
    હવે આ બ્લોગિંગ બંધ કરો અને દિલની સાથે રહો!

    મેં તો તાળાં વાસી દીધાં -
    http://gadyasoor.wordpress.com/2010/08/20/mint_farming/#comment-6383