Jal-samaadhi, a love story (Gujarati) Part-III (Final)[જળસમાધિ-૩ (સંપૂર્ણ)]
પરસોતમ મુખી પાસાં ઘસતા રહ્યા અને મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું. થોડીવાર પછી ગુસ્સાનો ઉકળાટ શમ્યો, ત્યારે તેમને થોડા દિવસ ઉપરનો એક પ્રસંગ સાંભરી આવ્યો.
પોતે ગામના મુખી હતા. ગામના આગળ પડતા આગેવાન હોવાના કારણે આર્થિક રીતે ઘસાઈને પણ ગામના ભલા માટે કંઈક કરી છૂટતા. સ્પૃશ્યાસ્પૃશ્યના તથા નાતજાતના એ જડ વાતાવરણમાં પણ મુખી કંઈક ઉદાર સ્વભાવના હતા. તેમને મન માનવી માનવી ભાઈ સમાન હતો. એ વખતે અસ્પૃશ્યતાનિવારણ સપ્તાહ ચાલતો હતો.ગાંધીજીના મૃત્યુ પછી પણ અસ્પૃશ્યતા નિવારણ માટેની ઝૂંબેશ પૂરજોસથી ચાલતી હતી. સરકાર પણ ક્રમેક્રમે જ્ઞાતિના ભેદભાવ સદંતર ભૂલાવી દેવા અનેક યોજનાઓ ઘડતી હતી. તે પૈકીની એક યોજના પ્રમાણે ગ્રામ પંચાયત ઉપર એક પરિપત્ર આવેલો હતો. આ પરિપત્ર પ્રમાણે પંચાયતે કેટલીક શરતોનો એકરાર કરવાનો હતો. આ શરતો જેવી કે – જાહેર કૂવાઓ ઉપર હરિજનો પાણી ભરે છે કે કેમ, ગામના હજામો હરિજનોની હજામત કરે છે કે કેમ? વગેરે…વગેરે. જો બધા પ્રશ્નોના ઉત્તર હકારમાં આપવામાં આવે તો તે પંચાયતને રૂપિયા પાંચ હજારનું ઈનામ આપવાની જાહેરાત હતી.
આ પરિપત્ર અંગે પંચાયતની સભા મળી હતી. અંદરોઅંદરની વાતચીતના કોલાહલને શાંત કરતાં પરસોતમ મુખીએ ઊભા થઈને કહ્યું હતું, “જૂઓ ભાઈ, આ રીતે ગામને જો પાંચ હજારનો ફાયદો થતો હોય તો આપણે માત્ર ફોર્મ જ ભરવાનું છે. ખરેખરો આનો અમલ થાય છે કે કેમ તે જોવાની સરકારને કાંઈ પડી નથી. વળી સરકાર કદાચ ઊંડા હાથ ઘાલીને તપાસ શરૂ કરશે તો આપણે હરિજનભાઈઓને જેમ કહીશું તેમ જવાબ આપશે. છેવટે એમનું પણ ગામ તો છે ને! શું ગામના ભલા માટે તેઓ આટલું પણ ન કરી શકે?’
મુખી બોલી રહ્યા કે તરત જ ખૂણામાંથી નાથો માઢિયો ઊભો થયો અને બોલ્યો, ‘અરે! જોજો, પાંચ હજારના મોહમાં આવીને આવી ભયંકર ભૂલ કરી બેસતા! આ વાલીડાઓનું ભલું પૂછવું! આવો લાગ જોઈને કૂવાઓ ઉપર ચઢી જશે અને પછી જોવા જેવી થઈને રહેશે.‘ બીજાઓએ નાથાલાલની વાતમાં સૂર પુરાવ્યો, પણ પરસોતમ મુખીને આ ન ગમ્યું. ગામને મળતા આવા લાભને જતો કરવા તે તૈયાર નહોતા. બધાંને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં તે બોલ્યા, ‘ભાઈ, હાલમાં કેવો સમય આવ્યો છે, તેનો તમને ખ્યાલ છે! હવે તો સહુ સમાનતામાં માનતા થઈ ગયા છે અને આપણી ગાજરની પિપુડી કેટલો સમય વાગવાની છે? માનો કે સરકાર બળજબરીથી આવા ભેદભાવ દૂર કરાવે તો આપણે શું કરી શકવાના છીએ? છેવટે તો સરકારના હાથ લાંબા છે અને આપણે નમતું આપે જ છૂટકો થવાનો છે.‘
પણ, બધા એકના બે ન જ થયા મુખીએ ઘણી લમણાઝીક કરી જોઈ, પણ પરિણામ શુન્ય આવ્યું. છેવટે તે કંટાળીને બોલ્યા, ‘ તમે બધા ન માનો તો મારા બાપનું શું જવાનું છે? સહુને ગમે તે ખરું,પણ હું પોતે તો આવા ભેદભાવમાં માનતો નથી.‘
મુખીએ પોતાનું વાક્ય પૂરું કર્યું ન કર્યું, ત્યાં તો ગામનો ચૌદશિયો કહેવાતો એ જ નાથો ફરીથી લાગ જોઈને ઊભો થયો. આમ તો તેણે મુખીને બદનામ કરવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું. ગામ આખાયમાં રૂપા અને ખુશાલની ફજેતી પણ તેણે જ કરી હતી. આમ કરવા પાછળનું કારણ એ હતું કે નાથાએ પોતાના દીકરા માટે રૂપાના હાથનું માગું મૂક્યું હતું. આમ તો નાથો પૈસેટકે સુખી હતો, પણ તેનો દીકરો કાણો હતો. મુખી પોતાની કાચની પૂતળી જેવી દીકરી માટે આવો મુરતિયો પસંદ કરવા તૈયાર ન હતા. તેમણે નાથાની વાત નકારી કાઢી હતી અને ત્યારથી નાથો મુખીની વિરુદ્ધ પડ્યો હતો.
આજે નાથાએ મોકો ન ચૂકતાં સોગઠી મારતાં કહ્યું, ‘મુખી હાથીની જેમ બે જાતના દાંત ન રાખીએ. જો ખરેખર ભેદભાવમાં ન માનતા હો તો પરણાવી દો તમારી રૂપાને ખુશાલ સાથે! પછી અમે માનીએ કે તમારા હોઠે છે તે હૈયામાં પણ છે.‘
આ સાંભળતાં જ મુખીના રોમેરોમમાં ક્રોધ વ્યાપી ગયો. ઈચ્છા થઈ આવી કે પોતે નાથિયાને પટકી નાખે,પણ સમયને પારખીને પોતે ગમ ખાઈ ગયા. છેવટે ગુસ્સાના ઊભરાને તેમણે મુખીપદ છોડી જ ઠાલવ્યો હતો.
આજે તેમને આ પ્રસંગ યાદ આવ્યો અને મનોમન વિચાર કરવા માંડ્યા કે :‘આમેય ગામ આખાએ માથે માછલાં ધોવામાં કશું જ બાકી રાખ્યું નથી. તો લાવને, ખુશાલ-રૂપાનાં દિલ મળેલાં જ છે તો તેમનાં લગ્ન કરાવી આપું! આમેય મેં ક્યારે ખુશાલને પારકો ગણ્યો હતો? મારી પાસે ઘણીય જમીન છે, અડધી તેમને આપીશ તો તેને ખેડીને સુખેથી રોટલો ખાશે. નાથિયાએ મેણું માર્યું છે તો તેને બતાવી દઉં કે પરસોતમ તેના કાણિયાને દીકરી આપે તેવો મૂર્ખ નથી! કાણિયા કરતાં મારે બિચારો ખુશાલ શું ખોટો!? ગામ આખાયમાં તો શું, પણ સમગ્ર દેશમાં મારા નામનો ડંકો વાગશે! સમજદાર લોકો વાહ વાહ બોલશે અને કહેશે કે: ધન્ય છે મુખીને, જેણે આવી હિંમત કરી!‘ અને તરત જ પોતે એક નિર્ણય પર આવી ગયા કે ભલે આખી દુનિયા એક પડખે થઈ જાય, પણ પોતે પોતાના નિશ્ચયમાંથી તલભાર પણ ચળવાના નથી.
પરસોતમ મુખીના માથા ઉપરનો ભાર હળવો તો થઈ ગયો, પણ બપોરે ખેતરમાં રૂપાને ન બોલવાનું બોલી ગયા તેનો પસ્તાવો થવા માંડ્યો અને તેનો ઓશિયાળો ચહેરો નજર સામે તરવરી ઊઠ્યો. દીકરા કરતાંય પણ વધુ હેતભાવથી રાખેલ રૂપાને કેટલું ખોટું લાગ્યું હશે! ઈચ્છા થઈ આવી કે હાલને હાલ પોતે રૂપાને જગાડીને તેની માફી માગી લે અને એ પણ જણાવી દે કે પોતે ખુશાલ સાથે તેનું લગ્ન કરાવી આપવા તૈયાર છે. પણ, વિચાર આવ્યો કે ‘હે, જીવ! સવાર તો પડવા દે. ખેતરમાં જઈને કોઈને કશું જ જણાવ્યા સિવાય બિલકુલ સાદાઈથી ખુશાલને રૂપાનો હાથ પકડાવી દેવો છે.‘ આમ હૃદય ઉપરનો ભાર હળવો કરીને મુખી સૂઈ ગયા. તેમને જિંદગીમાં કદીયે આવી મીઠી નિંદર નહોતી આવી.
પણ…પણ.. તેમને ક્યાં ખબર હતી કે તે જ રાત્રે શું બન્યું હતું?
રાત્રે ચંદ્રના અજવાળામાં ખુશાલ પાગલ જેવો બનીને ખેતરમાં આંટા મારી રહ્યો હતો. થોડીક વાર પછી કોણ જાણે કેમ તેણે કૂવા તરફ ચાલવા માંડ્યું. તેને કોઈ ખેંચી રહ્યું હતું કે શું? ખુશાલ કૂવાકાંઠેથી હજુ તો થોડે દૂર છે. પણ આ શું? ‘ધડીમ…‘ જેવો કૂવામાંથી શાનો અવાજ આવ્યો? કૂવાકાંઠેથી કોઈ વસ્તુ અંદર પડી કે શું? ખુશાલ બેબાકળો બની ગયો. ‘ના, ના. મારો હૃદિયો કહે છે કે સો ટકા રૂપાએ જ અંદર ઝંપલાવ્યું લાગે છે!‘. ચંદ્રના અજવાળામાં કાંઠે પડેલી રૂપાની મોજડીઓ જોતાં જ તેણે તેને બચાવવા ઝડપથી દોડીને કૂવામાં પડતું મૂક્યું. ખુશાલ પાણીમાં ડૂબકી લગાવીને રૂપાના દેહસોતો સપાટી ઉપર આવ્યો. ‘રૂપા‘ના નામની કૂવાને ગજવી દેતી ચીસ પાડી, પણ રૂપાનો કોઈ પ્રત્યુત્તર ન સાંપડ્યો. કૂવાકાંઠાના ઝાડ પર માળામાં બેઠેલાં પંખીડાં પણ ફફડી ઊઠ્યાં. ખુશાલે રૂપાના દેહને પોતાના બાહુપાશમાં જકડી લીધો. તેના શરીરના અવયવો પણ શિથિલ થવા માંડ્યા, જાણે તેની તરવાની કળા પણ વિસરાવા માંડી. ધીમેધીમે રૂપાના દેહસોતો ખુશાલ પાણીમાં ડૂબવા માંડ્યો. એમ કરતાં કરતાં અપાર જળરાશિ તેમના દેહ ઉપર છવાઈ ગઈ. બંનેએ જળસમાધિ લીધી. પળવારમાં કશું જ ન બન્યું હોય તેમ પાણી સ્થિર થઈ ગયું.
સવાર પડી, ત્યારે આખું ગામ કૂવાકાંઠે ભેગું થઈ ગયું હતું. એક ખૂણે બેઠાબેઠા પસા મુખી ચોધાર આંસુએ રડી રહ્યા હતા. રૂપાની માએ જ્યારે ‘ઓ, મારી દીકરી રે…‘કહીને પોક મૂકી, ત્યારે તો ભલભલા કાઠા કાળજાવાળા પણ આંખો લૂછવા માંડ્યા. પોતે બહાવરી બનીને છાતી કૂટતી હતી અને બીજી સ્ત્રીઓ તેનો હાથ ઝાલી રાખીને રડતે સાદે આશ્વાસન આપતી હતી. રૂપાનો ભાઈ તેની માને બાઝી પડીને મોટા અવાજે રડી રહ્યો હતો.
છેવટે બંને લાશોને બહાર કાઢવામાં આવી, ત્યારે ખુશાલના બાહુપાશમાં રૂપાનો દેહ જકડાયેલો હતો. બંનેના દેહ જુદા પાડવા માટે ખૂબ કોશીશ કરવામાં આવી, પણ કોઈ સફળતા ન મળી. આખી રાત પસાર થતાં તેમનાં શરીર એવાં તો ઠુઠવાઈને જકડાઈ ગયાં હતાં કે બધા લોકો વિચારમાં પડી ગયા કે હવે શું કરવું?
પણ, ત્યાં તો પેલા નાથાલાલે ફરી પોતાની હલકાઈ પ્રદર્શિત કરતાં ગર્જના કરી, ‘નાલાયકના હાથ કાપી નાખો. ભૂંડો પોતે તો મર્યો અને બિચારા પરસોતમને પણ જીવતાં જીવત મારી ગયો!‘
બધાંના આશ્ચર્ય વચ્ચે પરસોતમ મુખીએ કહ્યું, ‘ના, તેમ કરશો નહિ. બિચારાંનાં દિલ કેવાં મળેલાં હતાં! ભલા, આપણી દુનિયાએ તેમને સાથે જીવવા ન દીધાં, તો સાથે અગ્નિસંસ્કાર પણ ન પામવા દઈએ!‘ છેવટે આંખનાં આંસુ લૂછતાં તેઓ ચૂકાદો આપતા હોય તેમ બોલ્યા, ‘બંનેના દેહને એક જ ચિતા પર ખડકીને બાળવામાં આવશે.‘

ફરી બધાં આશ્ચર્યમુગ્ધ બની ગયાં.
જ્યારે ચિતા ભડભડ સળગતી હતી, ત્યારે પરસોતમ મુખી જડ પૂતળા જેવા ઊભા રહીને ગઈ રાતનો પોતાનો વિચાર યાદ કરતાં મનોમન પસ્તાતા હતા કે શુભ કામમાં ઢીલ ન કરી હોત તો આ પરિણામ ન આવત!
(સંપૂર્ણ)
પ્રકાશિત ‘સવિતા‘ (૧૯૬૫)

બધાંના આશ્ચર્ય વચ્ચે પરસોતમ મુખીએ કહ્યું, ‘ના, તેમ કરશો નહિ. બિચારાંનાં દિલ કેવાં મળેલાં હતાં! ભલા, આપણી દુનિયાએ તેમને સાથે જીવવા ન દીધાં, તો સાથે અગ્નિસંસ્કાર પણ ન પામવા દઈએ!‘ છેવટે આંખનાં આંસુ લૂછતાં તેઓ ચૂકાદો આપતા હોય તેમ બોલ્યા, ‘બંનેના દેહને એક જ ચિતા પર ખડકીને બાળવામાં આવશે.‘………..
Valibhai….the above lines of your VARTA reveals the “parinam ” of the ignorant Society unwilling to see the “true love ” of Rupa & Khushal just because the Society failed to understand Humanity in all Humans…….this story touches on the Caste System & leads all of us to “change in our thinking “…A powerful social message !
Chandrapukar ! (Chandravadan Mistry )
http://www.chandrapukar.wordpress.com
મામા ખરેખર ખૂબ જ સુંદર વાતૉ છે. માનવીની ભવાઇ પછીની આ બીજી એવી વાતૉ છે કે જે વાંચતા વાંચતા હું રડી ગઈ હોઉ. superb story line.
but some of the photoes dont match with the story line.while reading this story a picture of typical village is created in mind and with that imagination the photographs of modern girls do not match,though they convey the same emotions.
Thanks Roohi,
I do agree with you regarding images. It’s a hard job to search for appropriate images. We have to pass on hours and hours and at the end we have to do with little satisfactory results.
Some literary works themselves are emblematic and the Reader’s mind imagines images. You will read my next Article on my blog where I have mentioned an English poem “Home They Brought Her Warrior Dead” where also Readers will feel that they are watching an episode like today’s TV serial. There also I could not insert appropriate image.
During my High School days, I had read the Novel “Sarswatichandra”. Lately, I saw a movie thereon. I was also dis-satisfied with the character of Kumudsundari. The Director would have selected any other Heroine rather than Nootan. No doubt, Nootan had performed the character nicely, but in my imagination the face of Kumudsundari was plump fleshy. Such things happen so to many Readers/Viewers.
At my leisure, I’ll try to find out optional images. They can be changed at any time.
Thanks again for your suggestion.
આદરનિય વલિ સાબ્
ખુબ જ સુન્દર વારતા. લાગનિ ભરિ, સુન્દર માવજત કરિ ને તેને સજાવિ. દિલ ને અસર કરિ ગઈ.
શશિકાન્ત.
Oh! Masa! I really want to tell u that nobody can create this type of pure, transperant & heart-touching love-story without inner feeling of LOVE. The representation & the base of the story JAL-SAMADHI is excellent. Every person who reads the story can easily feel the waves of the story.
Dear Mahejabin,
Thanks for your compliments regarding the story. The word ‘waves’ in your comment is quite appropriate and excellent.
Regards,
Vali-masa
એક એવી વાર્તા કે જે વાંચવાથી દિવસો સુધી તેની અસર મગજ ઉપર છવાએલી રહી.
એ સામાજિક સમયગાળાને ધ્યાનમાં રાખીએ તો નખશિખ સુંદર વાર્તા. અત્યારે થોડી લાંબી લાગે. જો કે રસપૂર્વક જકડી રાખે છે.