સાચ્ચો ન્યાય
હું મારા વરંડામાં હાથમાં સમાચારપત્ર સાથે આરામખુરશીમાં ઝૂલી રહ્યો છું. હું મારા વાંચનમાં મગ્ન છું, ત્યાં તો મારા બંને દીકરાઓના બુલંદ શબ્દો મારા કાને સંભળાય છે. તેઓ ઝગડતા નથી, પણ તેમની વચ્ચે પોતપોતાની ઊંચાઈ અંગે મતભેદ ઊભો થયો છે. તેઓ મારાથી દસેક ફૂટ દૂર ખભેખભા અડકાડીને તેમની બાળસહજ બોલીમાં મને પૂછે છે, “ડેડી,મહેરબાની કરીને તમારો સાચ્ચો ન્યાય આપજો. અમારા બંનેમાં ઊંચો કોણ છે?”
હું સ્મિતસહ તેમને ચોકસાઈપૂર્વક નિરખું છું, કેમ કે મારે તેમને સાચો ન્યાય આપવાનો છે. બંનેની ઉંમરમાં માત્ર બે જ વર્ષનો ફરક છે, છતાંય ઊંચાઈમાં બંને લગભગ સરખા જેવા જ લાગે છે. હું કંઈક બોલવાનો પ્રયત્ન કરું છું, પણ આ દરમિયાન હું થોડાક દૂરના ભૂતકાળ તરફ સરકી જાઉં છું. થોડીકવાર પછી તો મને તેમના ચહેરા ધૂધળા દેખાય છે, કેમ કે મારી આંખો અશ્રુથી ઊભરાઈ ગઈ છે.
પરિવર્તિત વિશ્વમાં નીતિમત્તા અને જીવનમૂલ્યોની સ્થિતિ
Click here to read in English
‘નીતિમત્તા’ અને ‘જીવનમૂલ્યો’ શબ્દો વિશેષત: ફિલસૂફી(દર્શનશાસ્ત્ર)ના અભ્યાસમાં પ્રયોજાય છે. નીતિમત્તાને એક એવા પ્રયત્ન તરીકે ઓળખવી પડે કે જે થકી આપણે આદર્શ ચારિત્ર્યના સાર્વત્રિક સિદ્ધાંતોને ઓળખી શકીએ. નીતિમત્તા એ સામાજિક કરાર સમાન છે કે જે લાંબી સમયાવધિ દરમિયાન લોકોની અરસપરસની સહમતિથી ઘડાય છે અને ભવિષ્યની પેઢીઓમાં પણ જળવાઈ રહે છે. આ પ્રસ્થાપિત નીતિમત્તા વિષે એવી અપેક્ષા રખાય છે કે જેનું વ્યક્તિઓ દ્વારા એક પ્રકારની આચારસંહિતા તરીકે અનુસરણ થતું રહે. માનવીની વર્તણુંકને પ્રવર્તમાન નૈતિક ધારાધોરણ અનુસાર જ સારી કે નરસી તરીકે મુલવવામાં આવે છે.
નીતિમત્તા એ વર્તણુંક સાથે સંબંધિત છે, જ્યારે જીવનમૂલ્યો માન્યતાઓ સાથે સંકળાએલાં છે. નીતિમત્તા એ લોકોનો મત પ્રદર્શિત કરે છે અને જીવનમૂલ્યો એ વ્યક્તિગત માન્યતાઓને સ્પર્શે છે. જીવનમૂલ્યો એ કારણ છે, જ્યારે નીતિમત્તા એ કાર્ય કે પરિણામ છે; અર્થાત્ જેવાં મૂલ્યો તેવી નીતિમત્તા બને. આમ આ બંને એકબીજાનાં પૂરક છે. જીવનમૂલ્યો સમયાંતરે, જુદાંજુદાં સ્થળે, વિભિન્ન વાતાવરણે અને માણસોના બદલાતા જતા વિચારો સાથે બદલાતાં રહે. એ બધાં વ્યક્તિ થકી નિપજે અને કુટુંબો, જ્ઞાતિઓ, સમાજો અને રાષ્ટ્રોની પ્રજાઓ દ્વારા વિકાસ પામે; અને લાંબા ગાળે તેઓ નીતિમત્તાના સિદ્ધાંતો, સંસ્કૃતિનાં તત્વો કે જગતની સભ્યતામાં પરિવર્તિત થાય.
Understanding Anger and its Consequences
Like other emotions, anger is also a natural emotion in human life. Anger is the outward expression of our feelings of annoyance or disappointment that we experience in our heart or mind. When our established expectations, minor or major, are challenged by any outward causes, we get angry. Anger commences initially as a defensive response to attacks or threats aimed to disturb our mind, but subsequently it advances towards the two alternate ways of either to suppress or express the same. Psychologists believe that expression of anger is better than its suppression.
Anger, either for good motive or false cause, is never considered as a good sign of a civilized or a religious minded person. To control anger is just as practicing penance. It is very easy to preach others to have patience against anger or prevent it prior to its very beginning; but when we come across such situations practically, we become helpless and become the victim of anger.
માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’
Click here to read in English
કોઈપણ સમાચારપત્ર ખોલો, ટી.વી.ની કોઈ સમાચાર ચેનલ જૂઓ કે પછી કોમ્પ્યુટર ઉપર છેલ્લા તાજા સમાચાર માટેની શોધ ચલાવો; અને તમને દુનિયામાં ક્યાંક ને ક્યાંક, વ્યક્તિગત કે સમૂહગત, એક યા બીજા સંઘર્ષના કારણ હેઠળ માનવહત્યા કે માનવસંહાર થએલો જાણવા મળશે જ. જગતના તમામે તમામ ધર્મો એક મુદ્દા ઉપર સર્વસંમત છે કે મનુષ્ય એ ઈશ્વરસર્જિત તમામ જીવો પૈકીનું ઉત્તમોત્તમ સર્જન છે; તો વળી એ પણ એટલું જ સાચું છે કે જ્યારે આપણે માનવી દ્વારા માનવીની થતી હત્યા વિષે સાંભળીએ, ત્યારે એ નગ્ન સત્યને આપણે કબૂલવું જ પડશે કે દુનિયામાં માનવી જેવું અત્યંત ખરાબ કોઈ પ્રાણી નથી.
એ તો સાવ દેખીતું જ છે કે બધા જ પ્રકારના સંઘર્ષો પૈકી નૃવંશીય ભેદભાવમાંથી નિપજતો સંઘર્ષ મિટાવવો સૌથી વધારે મુશ્કેલ છે. સમૂહગત આવા સંઘર્ષો લોહિયાળ હોય છે અને મોટી સંખ્યામાં અહીં માનવસંહાર જોવા મળે છે. જો આપણે શાંત ચિત્તે માનવજાતિઓમાં થતા રહેતા આવા આંતરિક હત્યાકાંડો વિષે વિચારીએ; તો આપણે એ તારણ ઉપર આવીશું જ કે નિર્દોષોનાં લોહી વહેવડાવવાનું આ પાપકર્મ આચરવું એ માત્ર કાયરતા જ નહિ, પરંતુ મૂર્ખાઈ પણ છે. મારા વાંચકો સમક્ષ આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા, હું નીચે દાખલારૂપ કોઈકની પાસેથી સ્થાનિક રીતે સાંભળવા મળેલી એક બોધકથાને રજૂ કરીશ, જે આ પ્રમાણે છે :
સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…
Click here to read in English
મારો અગાઉનો આર્ટિકલ “Mercy killing or merciful death – A debate” (દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા)ને મારા વાંચકો તરફથી સારો પ્રતિભાવ મળતાં તેની Hits નો આંક ૧૪૦૦ થી વધુ પહોંચી ગયો, જે મારા તે અગાઉના સર્વોચ્ચ સ્થાને સ્થિત એવા આર્ટિકલ – “Power of Determination” (દૃઢ નિશ્ચયની તાકાત)ને પણ આંબી ગયો. “Mercy killing or merciful death – A debate” ને પ્રતિભાવ રૂપે મળેલી ૧૦ કોમેન્ટ પૈકી એક કોમેન્ટ મારા પુત્ર અને અમદાવાદ ખાતેની અમારી ‘Hotel Safar Inn’ના ડાયરેક્ટર અકબરઅલીની પણ હતી. તેણે પોતાની કોમેન્ટમાં મારા આજના વિષય ઉપર આર્ટિકલ લખવા મને પ્રોત્સાહિત કર્યો છે. મિ. ફ્રાન્સિસ અમારી હોટલના ખૂબ જ ઉત્સાહી અને પ્રમાણિક જનરલ મેનેજર છે. અમે સૌ તેમને એક કર્મચારી તરીકે નહિ, પણ અમારા કુટુંબના જ સભ્યની જેમ ગણીએ છીએ..
‘દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ -એક ચર્ચા’ના અંત ભાગે મેં જગતભરનાં હયાત કે અવસાન પામેલાં એવાં માતાપિતા અને મુખ્યત્વે તો માતાઓને બિરદાવી હતી કે જેમણે પોતાના ઉદરમાં વિકસતાં ગંભીર રીતે ખામીયુક્ત બાળકોને ગર્ભપાતની ડોક્ટરી સલાહ હોવા છતાં પોતાની કૂખે જન્મવા દીધાં હોય. આવાં લોકોએ બાળકના અને પોતાના કુટુંબના ભાગ્ય સામે લડી લેવાના પડકારને ઝીલી લીધો ગણાય. નિ:સહાય બાળકો પ્રત્યેના પોતાના વાત્સલ્યભાવના કારણે તેમની અતિ ખર્ચાળ અને વારંવાર કરાવવી પડતી પ્લાસ્ટિક અને રીકન્સટ્રક્ટીવ સર્જરી માટે પોતાનાં કે ઊછીનાં લીધેલાં અઢળક નાણાં ખર્ચ્યાં હોય.
દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા
આજના મારા લેખનો વિષય અનહદ ગૂંચવણભર્યો અને મુશ્કેલ પણ છે અને તેથી જ તેના કોઈ નક્કર તારણ ઉપર ન પણ આવી શકાય. આ એક લાંબા સમયથી ચાલી આવતી અને વિરોધભાસી ચર્ચા છે જેનો કોઈ અંત નથી, કેમ કે બંને વિચારધારાઓ પાસે પોતપોતાની પોતાના મતની તરફેણમાં અને વિરુદ્ધમાં સેંકડો દલીલો છે. અહીં મારા વાંચકો આ ચર્ચાના ભાગરૂપ મારા પ્રમાણિક પ્રયત્નને જોઈ શકશે, જેમાં મેં મારા પક્ષે પૂરી તટસ્થતા જાળવી રાખી છે અને ચર્ચાના સંભવિત પરિણામને મારી સંમતિ કે અસંમતિની કોઈ મહોર પણ મારી નથી. ‘દયા-હત્યા’ જેને અન્ય સારા શબ્દોમાં ‘અસાધ્ય વેદનામય દર્દથી પીડિત દર્દીનું શાંતિપૂર્વક મોત નિપજાવવું’ કહી શકાય. આ મુદ્દે ઘણાં વર્ષોથી વિશ્વભરમાં ચર્ચાઓ થતી આવી છે અને હું પણ અહીં અન્યોની જેમ આ ચર્ચામાં દાખલ થઈ રહ્યો છુ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે,’આપણું જીવન એ દીર્ઘ અને મથામણયુક્ત સત્યની શોધ માટે છે.’ મારા અગાઉના કોઈક આર્ટિકલમાં મેં કહ્યું છે કે ‘આપણે સત્યના કોઈ એક અંશ (A Truth) સુધી કદાચ પહોંચી શકીએ, પણ પૂર્ણ સત્ય (The Truth)ને પામવું તો મુશ્કેલ હોય છે.’
હવે આપણે એ સમજીએ કે આ પ્રકારની હત્યા કે મોત એ છે શું! મારા લેખના શીર્ષકમાં ‘દયા’ અથવા ‘દયાપૂર્ણ’ શબ્દો સામાન્ય છે; પરંતુ ‘હત્યા’ અને ‘મૃત્યુ’ શબ્દો ભિન્ન છે, જેમનો એક જ અર્થ ‘જીવનનો અંત આણવો’ એમ જ લેવાનો છે. મેં ઈન્ટરનેટના માધ્યમથી આ વિષય ઉપરની બે વ્યાખ્યાઓ તારવી કાઢી છે : (૧) વ્યક્તિના જીવનનો તેની વિનંતીથી ઈચ્છાનુસાર, સરળ અને પીડારહિત અંત આણવો, જ્યારે કે તે અસાધ્ય અને પીડાજનક રોગથી પીડિત હોય. (૨) ઈરાદાપૂર્વક પીડિત કોઈ વ્યક્તિના જીવનનો દયાથી પ્રેરાઈને અન્યો દ્વારા અંત લાવવામાં આવે..
જીવનસાથી
લગ્ન એ માત્ર સામાજિક રિવાજ જ નહિ, એક સંસ્કાર પણ છે. જગતભરની વિવિધ જ્ઞાતિઓના સમુદાયો કે સમાજો સર્વસંમત રીતે સ્વીકારે છે કે વ્યક્તિએ પુખ્તવયે પહોંચતાં પરણી જ જવું જોઈએ. આ ‘પરણી જ જવું’ શબ્દો સાર્થક કે પરિપૂર્ણ કરવા પહેલાં જીવનસાથીની પસંદગી કરવી પડે, જે વ્યક્તિના જીવનનું ખૂબ જ કપરું કાર્ય છે. સોક્રેટીસ કહે છે, ‘મારી તમને સલાહ છે કે પરણી જાઓ. જો તમને સારી પત્ની મળી, તો તમે સુખી થશો; અને જો તેમ ન બન્યું, તો તમે અવશ્ય તત્વચિંતક તો બનશો જ!’ આ વિધાન આત્મલક્ષી અને કટાક્ષમય પણ છે, કેમ કે સોક્રેટીસને તત્વજ્ઞાની બનાવવાનો ખરો જશ તેમની પહેલી પત્નીના ફાળે જાય છે કે જે સંભવતઃ ખૂબ જ ઝગડાખોર હતી. જો કે તેના પછીની બીજી પત્ની નામે ઝેન્થીપી (Xanthippe) બહુ જ ભલી હતી. ગમે તે હોય, પણ યુવાન પુરુષ કે સ્ત્રીને સમાન અધિકાર છે કે પોતે પોતાના માટે આદર્શ જીવનસાથીની પસંદગી કરી લે અને કોઈએ પણ તત્વજ્ઞાની બનવાની જરૂર નથી!
લગ્ન એ માનવજીવનમાં ખૂબ જ અગત્યનો સંબંધ છે. વળી, લગ્નને યોજનાર અર્થાત્ ગોઠવનાર વ્યક્તિ પણ એટલી જ અગત્યની બની જાય છે, ભલે પછી તે પોતે હોય કે માતાપિતા કે મિત્રો હોય. હવે આ લગ્ન સ્વયં કરી લેવામાં આવતું હોય કે બાહ્ય મદદ વડે કરવામાં આવતું હોય, પણ તે પહેલાં બંને પાત્રોએ એકબીજાને સારી રીતે ઓળખી લેવાં જોઈએ. લગ્ન એ સંવેદનશીલ અને ગંભીર બાબત છે. તે પરસ્પર ચાહનાર બે વ્યક્તિઓ વચ્ચેનું બંધન છે. આ બંને લગ્ન વડે બેમાંથી એક થાય છે, પ્રેમથી પરસ્પર જોડાય છે, સાથે મળીને પોતાના કૌટુંબિક જીવનને શરૂ કરે છે અને પોતાનું શેષ જીવન સાથે મળીને પસાર કરે છે. લગ્ન એ એકરાર (કબુલાત) છે અને તેની ઉભયના જીવન, કારકીર્દિ અને વ્યક્તિત્વ ઉપર મોટી અસર પડતી હોય છે.
